सीधे मुख्य सामग्री पर जाएं

BANASKANTHA//પાલનપુર ખાતે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ..

પાલનપુર ખાતે પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ..

રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા

         પાલનપુર કલેકટર કચેરી ખાતે અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ..

          જેમાં પાક કૃષિ વ્યવસ્થા, બાગાયત પાક વ્યવસ્થા, પશુપાલન, ડેરી વિકાસ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ, વન નિર્માણ અને વન્ય પ્રાણી જીવન, ગ્રામિણ વિકાસ માટેના ખાસ કાર્યક્રમો, નાની સિંચાઇ, સિંચાઇ વિસ્તાર વિકાસ, વીજળી, ગ્રામ અને લઘુ ઉદ્યોગ, રસ્તા અને પુલ, નાગરિક પુરવઠો, શિક્ષણ, પાણી પુરવઠો, શ્રમ અને રોજગાર તથા પોષણને લગતા કામોની સમીક્ષા કરવામાં આવી હતી..
           બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું કે, આદિજાતિઓના સર્વાગી વિકાસ માટે રાજય સરકાર સક્રિયપણે સંકલ્પબધ્ધ છે ત્યારે તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આવે અને ટ્રાયબલ વિસ્તાર અન્ય વિસ્તારોની હરોળમાં આવે તેવા કામોને અગ્રતા આપી આદિજાતિ લોકોના સર્વાગી વિકાસ માટે મંજુર કરવામાં આવેલ કામો સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ કરી અંતરીયાળ વિસ્તારો સુધી વિકાસના ફળ પહોંચાડવા જણાવ્યું હતું..

 તેમણે કહ્યું કે શિક્ષણ, રોડ, પાણીને લગતા કામોને અગ્રતા આપી આદિજાતિ વિસ્તારનો સર્વાગી વિકાસ થાય તેવા પ્રકારના કામોને પ્રાધાન્ય આપીએ. જે પણ કામો હાથ ધરવામાં આવે તે અધૂરા ન રહે તેવી રીતે આયોજન કરી સાચા લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા મંત્રીએ સુચના આપી હતી..

          આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. આઇ. શેખે આદિજાતિ માટે ફળવાયેલી ગ્રાન્ટના પડતર કામોનું તાત્કાલીક અમલીકરણ શરૂ કરવા જે તે વિભાગને તાકીદ કરી હતી..

          આ બેઠકમાં લોકસભા સાંસદશ્રી પરબતભાઇ પટેલ, રાજ્ય સભા સાંસદશ્રી દિનેશભાઇ અનાવડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી વારકીબેન પારઘી, ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, નિવાસી અધિક કલેકટરશ્રી રીટા પંડ્યા સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.. 

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા શુભમ પાર્ટી પ્લોટ ખાતે "હાલને સખી, ગરબે ઘૂમીએ" બે દિવસીય ગરબા મહોત્સવ યોજાયો

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા 'હાલને સખી, ગરબે ઘૂમીએ ' દ્વી દિવસય ભાતીગળ ગરબા મહોત્સવ 2024 યોજાયો.. નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા     શુભમ પાર્ટી પ્લોટ ડીસા ખાતે તારીખ 10 અને 11 ઓક્ટોબર 2024 ના રોજ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા સતત પાંચમાં વર્ષે 'હાલ ને સખી ગરબે ઘુમીયે' ભાતીગળ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં પ્રથમ દિવસે થરાદ ભારત વિકાસ પરિષદની ટીમ અને કે.બી. દેસાઈ (પી.આઇ )દક્ષિણ પોલીસ સ્ટેશન ડીસા અને બીજા દિવસે ભરતભાઈ ઠક્કર, ટ્રસ્ટી, ઉત્તર પ્રાંત, કમલભાઈ ચંદારાણા, ઉપપ્રમુખ, ઉત્તર પ્રાંત ,ભારત વિકાસ પરિષદ જેઓ હાજર રહીને ભાતીગળ ગરબા ને માણ્યા હતા.. સમગ્ર ડીસા પંથક માંથી માનવ મહેરામણ ઉભરાયું હતું અને  મોડી રાત સુધી સૌ શિસ્તબદ્ધ ગરબામાં ઝૂમ્યા હતા અને શાખા ની મહિલા પાંખ દ્વારા માંડવી, માટીના ગરબા અને ભાતીગળ ગરબા દ્વારા માતાજી ના ગુણગાન ગાવામાં આવ્યા હતા.. ડિસન્ટ ઓરકેસ્ટ્રા, પાટણ દ્વારા  દ્વિ દિવસીય ગરબા મહોત્સવમાં  સૌને જુદા જુદા ભાતીગળ ગરબા દ્વારા મોડી રાત સુધી ગરબે રમાડ્યા હતા.. આ ગરબા...

શ્યામ બંગ્લોઝ ભાગ 2, ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..

શ્યામ બંગ્લોઝ ભાગ 2 , ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..  ડીસા શહેર માં નવરાત્રી મહોત્સવ ની પૂર્ણાહુતિ પ્રસંગે શ્યામ બંગ્લોઝ ભાગ 2 કોમન પ્લોટ ખાતે સાત દીકરીઓ દ્વારા 'મહિષાસુર મર્દની 'નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી જે કૃતિ એ સૌનું ધ્યાનાકર્ષણ કર્યું હતું.. નાટિકામાં ખુશી ખાખલેચા, કવિતા રાવ ,દીપિકા રાવ, પૂજા ઠાકોર, અંજલી ઠાકોર, વિશ્વા સોની, ભૂમિ ઠાકોર અને રોહિત ઠાકોરે ભાગ લઈ સુંદર નૃત્ય દ્વારા સૌને પ્રભાવિત કર્યા હતા.. પરેશભાઈ પટેલ, તિરૂપતિ સાઇકલ ડીસા દ્વારા ભાગ લેનાર તમામ ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને ચાર રહીશો દ્વારા દરેક ને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.. આ પ્રસંગે આ નૃત્ય નાટિકા નું આયોજન કરનાર મહોત્સવ કમિટીના સભ્યો અને ભાગ લેનાર તમામને પ્રવીણભાઈ. સાધુ અને કમલેશભાઈ ટી.ઠક્કરે બિરદાવ્યા હતા..

अंडर ब्रिज कही दिनो भरा पड़ा होने से गंदगी व दुर्गंद से भयंकर मछर पैदा हो गए है मगर‌ नगर परिषद को इसकी जानकारी होते हुए भी अनजान

अंडर ब्रिज कही दिनो भरा पड़ा होने से गंदगी व दुर्गंद से भयंकर मछर पैदा हो गए है मगर‌ नगर परिषद को इसकी जानकारी होते हुए भी अनजान श्रीमान आयुक्त महोदय नगर परिषद बालोतरा निवेदन है कि नाहटा अस्पताल के पास पुराना अंडर ब्रिज कही दिनो से भरा पड़ा हुआ है बरसात बन्द हुए भी 10 दिन के ऊपर हो चुके है लेकीन आज तक नगर परिषद ने इसकी सफाई नही करवाई है गंदगी व दुर्गंद से भयंकर मछर पैदा हो गए है ज्यादा दिन गंदा पानी पड़े रहने से इसमें दुर्गंद हो गयी है।  गंदे पानी की दुर्गंद नाहटा हॉस्पिटल तक जा रही है जनहित के इस कार्य को आप तुरंत करावे साथ ही शहर के मौसमी बीमारी का प्रकोप बढ़ गया है अभी तक बबुल की झाड़िया कटिंग व DDT पाउडर छिड़काव तथा फॉगिंग स्प्रे भी नही सुरु हुआ है यदि समय रहते हुए शहर में सफाई व्यवस्था नही सुधारा गया तो यह मौसमी बीमारिया विकराल रूप धारण कर सकती है।  आज ही सफाई निरशको व हल्का जामेदारो को इस कार्यो हेतु निर्देशित करावे।                            निवेदित : मदनराज चोपड़ा, पूर्व मंडल अध्यक्ष भाजपा