જમનાબાઈ પ્રા.શાળામાં બાળકોને સ્ટાફ મિત્રોએ પતંગ આપી ઉત્તરાયણની શુભેચ્છાઓ આપી.
આજ રોજ જમનાબાઈ પ્રા.શાળામાં બાળકોને શિક્ષકો દ્વારા પતંગ વહેંચવામાં આવી.શાળાના બાળકોને ઉત્તરાયણનું મહત્વ વિશે સમજ આપવામાં આવી.શાળાના શિક્ષક મોતીભાઈ વાઘેલા એ ઉત્તરાયણ પર્વના મહત્વ વિશે સમજ આપવામાં આવી તથા ઉત્તરાયણ ના દિવસે સાવધાની થી પતંગ ચગાવવી અને પોતાની સલામતી જાળવવા માર્ગદર્શન આપ્યું.સ્ટાફ મિત્રોએ પણ બાળકોને સમજ આપી.ગુજરાતી ના શિક્ષિકા મંજુલાબેન રાજપૂતે ઉત્તરાયણ વિશે નિબંધ ની માહિતી આપી.