सीधे मुख्य सामग्री पर जाएं

પત્રકાર એકતા સંગઠન, બનાસકાંઠાની જિલ્લા કારોબારીની જાહેરાત

પત્રકાર એકતા સંગઠન, બનાસકાંઠાની જિલ્લા કારોબારીની જાહેરાત

- જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીએ ચાર-ચાર ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી,સહમંત્રી સહિત અન્ય હોદ્દેદારોની કરી નિયુક્તિ
ડીસા
    ગુજરાત રાજ્યમાં પ્રથમવાર રાજયકક્ષાના પત્રકાર એકતા સંગઠનનો ઉદય થયા બાદ પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા તેમજ સલીમભાઈ બાવાણી અને ગૌરાંગભાઈ પંડ્યા સહિત અન્ય પ્રદેશ હોદ્દેદારોની સક્રિય જહેમતથી આ સંગઠન ટૂંકા ગાળામાં જ રાજ્યભરમાં ખૂબ મજબૂત બની ગયું છે. ત્યારે પત્રકાર એકતા સંગઠનના બનાસકાંઠા જિલ્લા એકમના પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીએ પણ તેમના ઉત્તરદાયિત્વની નિભાવણીના પ્રથમ ચરણમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા, પ્રદેશ મંત્રી હેમુભા વાઘેલા અને ઝોન પ્રભારી અંબાલાલ રાવલના માર્ગદર્શન હેઠળ ગુજરાત પત્રકાર એકતા સંગઠનના બનાસકાંઠા એકમની જિલ્લા કારોબારીની જાહેરાત કરતા જિલ્લાભરના પત્રકાર મિત્રોમાં આનંદની લાગણી ફેલાઈ છે. 
 પત્રકાર એકતા સંગઠનના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીએ બનાસકાંઠામાં કાર્યરત પત્રકાર સંગઠનો સાથે વિચાર વિમર્શ કરી તેમના વિચારો જાણ્યા બાદ જિલ્લા કારોબારીની રચના કરી છે જેમાં ઉપપ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ ઓઝા (થરાદ), નટુભાઈ ચૌહાણ (દિયોદર), કંચનજી ઠાકોર (ભીલડી) અને મહેન્દ્રભાઈ અગ્રવાલ (અંબાજી), મહામંત્રીઓ તરીકે વિષ્ણુભાઈ પરમાર (વાવ), સુરેશભાઈ અગ્રવાલ (છાપી), રામલાલ મીણા (અમીરગઢ) અને રાજનભાઈ ચૌધરી (ધાનેરા), મંત્રીઓ તરીકે અમરતજી ઠાકોર (થરા), મહેન્દ્રભાઈ પટેલ (ભાભર), ભરતભાઇ દવે (લાખણી) અને મહેશભાઈ ચૌધરી (દાંતીવાડા), સહમંત્રી તરીકે બાબુભાઇ દેસાઈ (ડીસા), પ્રધાનજી ઠાકોર (ડીસા), રતનસિંહ (પાલનપુર) તેમજ રમેશભાઈ પટેલ (ગઢ), ખજાનચી તરીકે હરેશભાઈ ઠક્કર (ડીસા) તેમજ આઇટી સેલ કન્વીનર તરીકે નારણભાઇ રાવલ (દિયોદર) ની વરણી કરાઈ છે. જ્યારે જે તે તાલુકાના અન્ય સક્ષમ અને જાગૃત પત્રકારોને નજીકના જિલ્લાઓમાં સંગઠનના પ્રભારી તેમજ સહપ્રભારી તરીકેની જવાબદારીઓ પણ સોંપાઈ છે.
   સંગઠનના જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામી એ જણાવ્યું હતું કે સંગઠનની મજબૂતી માટે જિલ્લા કારોબારીમાં નિયુક્ત થયેલા ઉપપ્રમુખ, મહામંત્રીઓ, સહમંત્રીઓ અને સલાહકારોના માર્ગદર્શન હેઠળ જે તે તાલુકાના પ્રભારી અને સહ પ્રભારી મિત્રોએ તેમને સોંપાયેલા તાલુકાઓમાં નવા સંગઠનની રચના તેમજ મજબૂત માળખું તૈયાર કરવાની જવાબદારી નિભાવવાની રહેશે. કોઈ પ્રભારી કે સહ પ્રભારી તાલુકા કે શહેર સંગઠનમાં હોદ્દેદાર તરીકે નિયુક્ત થાય તો તેમને પ્રભારી કે સહપ્રભારીની જવાબદારીમાંથી મુક્ત કરાશે. જિલ્લા કારોબારીમાં સ્થાન મળ્યું ના હોય તેવા પત્રકાર મિત્રો પણ આપોઆપ કારોબારી સભ્યો બની જશે. કોઈ પણ જાતના મતભેદ કે મનભેદ વગર આ સંગઠનની મજબૂતી માટે કામે લાગી જઇ સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠાનું સંગઠન મોડેલ રૂપ બની રહે તેવું મજબૂત માળખું ઉભું કરવામાં તન,મન અને ધનથી સહયોગી બનવા પણ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીએ પત્રકાર મિત્રોને આહવાન કર્યું છે.

Gujarat Express News Network

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા શુભમ પાર્ટી પ્લોટ ખાતે "હાલને સખી, ગરબે ઘૂમીએ" બે દિવસીય ગરબા મહોત્સવ યોજાયો

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા 'હાલને સખી, ગરબે ઘૂમીએ ' દ્વી દિવસય ભાતીગળ ગરબા મહોત્સવ 2024 યોજાયો.. નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા     શુભમ પાર્ટી પ્લોટ ડીસા ખાતે તારીખ 10 અને 11 ઓક્ટોબર 2024 ના રોજ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા સતત પાંચમાં વર્ષે 'હાલ ને સખી ગરબે ઘુમીયે' ભાતીગળ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં પ્રથમ દિવસે થરાદ ભારત વિકાસ પરિષદની ટીમ અને કે.બી. દેસાઈ (પી.આઇ )દક્ષિણ પોલીસ સ્ટેશન ડીસા અને બીજા દિવસે ભરતભાઈ ઠક્કર, ટ્રસ્ટી, ઉત્તર પ્રાંત, કમલભાઈ ચંદારાણા, ઉપપ્રમુખ, ઉત્તર પ્રાંત ,ભારત વિકાસ પરિષદ જેઓ હાજર રહીને ભાતીગળ ગરબા ને માણ્યા હતા.. સમગ્ર ડીસા પંથક માંથી માનવ મહેરામણ ઉભરાયું હતું અને  મોડી રાત સુધી સૌ શિસ્તબદ્ધ ગરબામાં ઝૂમ્યા હતા અને શાખા ની મહિલા પાંખ દ્વારા માંડવી, માટીના ગરબા અને ભાતીગળ ગરબા દ્વારા માતાજી ના ગુણગાન ગાવામાં આવ્યા હતા.. ડિસન્ટ ઓરકેસ્ટ્રા, પાટણ દ્વારા  દ્વિ દિવસીય ગરબા મહોત્સવમાં  સૌને જુદા જુદા ભાતીગળ ગરબા દ્વારા મોડી રાત સુધી ગરબે રમાડ્યા હતા.. આ ગરબા...

कृष्णा सेवा संस्थान द्वारा अस्थायी प्याऊ का हुआ शुभारम्भ

कृष्णा सेवा संस्थान द्वारा अस्थायी प्याऊ का हुआ शुभारम्भ  बालोतरा :   मनोहर बोराणा कृष्णा सेवा संस्थान ने गर्मी में चल रहे सेवा कार्यों में एक और कदम बढ़ाते हुए दो माह के लिए अस्थायी प्याऊ का शुभारम्भ किया है। संस्थान मार्गदर्शक पारस भंडारी ने कहा कि संस्थान द्वारा प्रति वर्ष गर्मी में आमजन व प्राणियों की सेवा के अनेक कार्य किए जाते है आज से जसोल फांटा पर अस्थायी प्याऊ प्रारम्भ की गई है। संस्थापक अध्यक्ष धर्मेंद्र दवे ने बताया कि संस्थान द्वारा अभी गर्मी में निशुल्क परिंडे वितरित करते हुए जगह जगह सीमेंट की खेलियां लगाई जा रही है इसके साथ आज से संस्थान सदस्य मानसी नेनवानी, ललित नेनवानी व लक्ष्मण पुत्र अशोक नेनवानी के सहयोग से दो माह के लिए जसोल फांटा पर ठंडे पानी के केम्पर लगाकर प्याऊ शुरू की गई है। यंहा यात्रियों का आवागमन लगा रहता है जसोल व नाकोड़ा जाने वाले दर्शनार्थीयों को इस प्याऊ से अवश्य राहत मिलेगी।सभी सदस्यों द्वारा नेनवानी परिवार का दुपट्टा पहनाकर स्वागत किया गया। गौतम चौपड़ा ने बताया कि आगे जैसे जैसे गर्मी बढ़ेगी संस्थान द्वारा कई जगह प्याऊ लगाई ज...

શ્યામ બંગ્લોઝ ભાગ 2, ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..

શ્યામ બંગ્લોઝ ભાગ 2 , ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..  ડીસા શહેર માં નવરાત્રી મહોત્સવ ની પૂર્ણાહુતિ પ્રસંગે શ્યામ બંગ્લોઝ ભાગ 2 કોમન પ્લોટ ખાતે સાત દીકરીઓ દ્વારા 'મહિષાસુર મર્દની 'નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી જે કૃતિ એ સૌનું ધ્યાનાકર્ષણ કર્યું હતું.. નાટિકામાં ખુશી ખાખલેચા, કવિતા રાવ ,દીપિકા રાવ, પૂજા ઠાકોર, અંજલી ઠાકોર, વિશ્વા સોની, ભૂમિ ઠાકોર અને રોહિત ઠાકોરે ભાગ લઈ સુંદર નૃત્ય દ્વારા સૌને પ્રભાવિત કર્યા હતા.. પરેશભાઈ પટેલ, તિરૂપતિ સાઇકલ ડીસા દ્વારા ભાગ લેનાર તમામ ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને ચાર રહીશો દ્વારા દરેક ને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.. આ પ્રસંગે આ નૃત્ય નાટિકા નું આયોજન કરનાર મહોત્સવ કમિટીના સભ્યો અને ભાગ લેનાર તમામને પ્રવીણભાઈ. સાધુ અને કમલેશભાઈ ટી.ઠક્કરે બિરદાવ્યા હતા..