सीधे मुख्य सामग्री पर जाएं

કોરોનાને કાબુમાં રાખવા જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે.. બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલે અને આરોગ્યના અધિકારીઓની પરિસ્થિતિ પર સીધી નજર

કોરોનાને કાબુમાં રાખવા જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે.. 
બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલે અને આરોગ્યના અધિકારીઓની પરિસ્થિતિ પર સીધી નજર
 આરોગ્યની ૩ હજાર ટીમો, ૧૬૦૩ મહેસૂલ અને પંચાયતના 
અધિકારીઓ-કર્મચારીઓ, ૩૩૬૫ આંગણવાડીની બહેનો ફરજ પર 

 (માહિતી બ્યુરો, પાલનપુર) 

        નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ના સંક્રમણને કાબુમાં રાખવા તથા આ વાયરસને ફેલાતો અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારના માર્ગદર્શન પ્રમાણે વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલે અને આરોગ્યના અધિકારીઓ કોરોનાની પરિસ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે. આજદિન સુધી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી પરંતું સરકારની સુચના પ્રમાણે જિલ્લા વહીવટી તંત્રએ આગોતરૂ આયોજન કરી કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે તથા આ વાયરસને ફેલાતો અટકાવવા સહિતના જરૂરી તમામ પગલાં લીધા છે.         બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સઘન મોનીટરીંગ કરી કોરોના વાયરસનું સંક્રમણ જિલ્લામાં ન ફેલાય તે માટે અથાગ મહેનત કરી રહ્યા છે. જિલ્લામાં હાઇરીસ્ક ગ્રુપમાં આવતા તમામ વ્યક્તિઓનું જિલ્લાકક્ષાએથી સીધુ મોનીટરીંગ કરવામાં આવે છે. ગામડાઓમાં લોકોને ઘેરબેઠાં સારવાર મળી રહે તે માટે મોબાઇલ ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે. તાવ, શરદી, ખાંસી કે માથાના દુઃખાવાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓનો આશા કે મલ્ટી પર્પઝ અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા સંપર્ક કરવામાં આવે છે. 
       બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કાનો સઘન સર્વે પૂર્ણ કર્યા બાદ ૨૪૨૫ આશા, ૧૫૨૮ મલ્ટી પર્પઝ અને ફિમેલ હેલ્થ વર્કર, ૨૫૨ જેટલાં મેડીકલ ઓફિસર તબીબી સ્ટાફ સહિતની આરોગ્યની ૩ હજાર જેટલી ટીમો દ્વારા ઘેર ઘેર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવેલા પ્રવાસીઓનું સઘન મોનીટરીંગ અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. 
        લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કામગીરી માટે ૮૦૩ મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ તથા ૮૦૦ પંચાયત વિભાગના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. ૩૩૬૫ આંગણવાડી અને તેડાગર બહેનો તથા ૩૨ આઇ.સી.ડી.એસ.ની સુપરવાઈઝર બહેનો ફરજ બજાવી રહી છે. 
         લોકડાઉનના સમયમાં લોકોને દૂધ, શાકભાજી, કરીયાણું, મેડીકલ પ્રોવિઝનલ સ્ટોર્સમાંથી દવાઓ વગેરે સરળતાથી મળે તે માટે વિક્રેતાઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ-૧૩,૯૧૭ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. લોકોને ઘેરબેઠાં કરીયાણું મળી રહે તે માટે દુકાનદારો સાથે સંકલન કરી હોમ ડીલીવરીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગઇકાલે કલેકટરશ્રી સંદીપ સાગલેના હસ્તે સ્ટેય હોમ બી.કે. નામની મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે જેના પર આર્ડર બુક કરાવી લોકો સરળતાથી વસ્તુઓ અને સેવાઓ ઘેરબેઠાં મેળવી શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવાઇ છે. જિલ્લાના કંટ્રોલ રૂમ પરથી અધિકારીઓ જિલ્લાની તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ૪,૭૭૦ પોલીસ, હોમગાર્ડ અને 
ગ્રામરક્ષક દળના જવાનો લોકોની સેવામાં ખડેપગે
      
          બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનના ચુસ્ત અમલ થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલના વડપણ હેઠળ ૪,૭૭૦ જેટલાં પોલીસ, હોમગાર્ડ,ગ્રામરક્ષક દળ,વન વિભાગ, એક્સ-આર્મીમેન અને એન.એન.એસ.ના વિધાર્થીઓ વોલેન્ટીયર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જિલ્લામાં ૧૫૮૪ પોલીસ જવાનો, ૧૪૮૨ હોમગાર્ડ જવાનો, ૧૪૨૯ ગ્રામરક્ષક દળ, ૮૭ વન વિભાગ, ૨૫ એક્સ-આર્મીમેન અને ૧૬૩ જેટલાં એન.એસ.એસ.ના વિધાર્થીઓ લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ ફોર્સના જવાનો સાથે લોકોની સેવામાં રાઉન્ડ ધ ક્લોક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા શુભમ પાર્ટી પ્લોટ ખાતે "હાલને સખી, ગરબે ઘૂમીએ" બે દિવસીય ગરબા મહોત્સવ યોજાયો

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા 'હાલને સખી, ગરબે ઘૂમીએ ' દ્વી દિવસય ભાતીગળ ગરબા મહોત્સવ 2024 યોજાયો.. નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા     શુભમ પાર્ટી પ્લોટ ડીસા ખાતે તારીખ 10 અને 11 ઓક્ટોબર 2024 ના રોજ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા સતત પાંચમાં વર્ષે 'હાલ ને સખી ગરબે ઘુમીયે' ભાતીગળ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં પ્રથમ દિવસે થરાદ ભારત વિકાસ પરિષદની ટીમ અને કે.બી. દેસાઈ (પી.આઇ )દક્ષિણ પોલીસ સ્ટેશન ડીસા અને બીજા દિવસે ભરતભાઈ ઠક્કર, ટ્રસ્ટી, ઉત્તર પ્રાંત, કમલભાઈ ચંદારાણા, ઉપપ્રમુખ, ઉત્તર પ્રાંત ,ભારત વિકાસ પરિષદ જેઓ હાજર રહીને ભાતીગળ ગરબા ને માણ્યા હતા.. સમગ્ર ડીસા પંથક માંથી માનવ મહેરામણ ઉભરાયું હતું અને  મોડી રાત સુધી સૌ શિસ્તબદ્ધ ગરબામાં ઝૂમ્યા હતા અને શાખા ની મહિલા પાંખ દ્વારા માંડવી, માટીના ગરબા અને ભાતીગળ ગરબા દ્વારા માતાજી ના ગુણગાન ગાવામાં આવ્યા હતા.. ડિસન્ટ ઓરકેસ્ટ્રા, પાટણ દ્વારા  દ્વિ દિવસીય ગરબા મહોત્સવમાં  સૌને જુદા જુદા ભાતીગળ ગરબા દ્વારા મોડી રાત સુધી ગરબે રમાડ્યા હતા.. આ ગરબા...

कृष्णा सेवा संस्थान द्वारा अस्थायी प्याऊ का हुआ शुभारम्भ

कृष्णा सेवा संस्थान द्वारा अस्थायी प्याऊ का हुआ शुभारम्भ  बालोतरा :   मनोहर बोराणा कृष्णा सेवा संस्थान ने गर्मी में चल रहे सेवा कार्यों में एक और कदम बढ़ाते हुए दो माह के लिए अस्थायी प्याऊ का शुभारम्भ किया है। संस्थान मार्गदर्शक पारस भंडारी ने कहा कि संस्थान द्वारा प्रति वर्ष गर्मी में आमजन व प्राणियों की सेवा के अनेक कार्य किए जाते है आज से जसोल फांटा पर अस्थायी प्याऊ प्रारम्भ की गई है। संस्थापक अध्यक्ष धर्मेंद्र दवे ने बताया कि संस्थान द्वारा अभी गर्मी में निशुल्क परिंडे वितरित करते हुए जगह जगह सीमेंट की खेलियां लगाई जा रही है इसके साथ आज से संस्थान सदस्य मानसी नेनवानी, ललित नेनवानी व लक्ष्मण पुत्र अशोक नेनवानी के सहयोग से दो माह के लिए जसोल फांटा पर ठंडे पानी के केम्पर लगाकर प्याऊ शुरू की गई है। यंहा यात्रियों का आवागमन लगा रहता है जसोल व नाकोड़ा जाने वाले दर्शनार्थीयों को इस प्याऊ से अवश्य राहत मिलेगी।सभी सदस्यों द्वारा नेनवानी परिवार का दुपट्टा पहनाकर स्वागत किया गया। गौतम चौपड़ा ने बताया कि आगे जैसे जैसे गर्मी बढ़ेगी संस्थान द्वारा कई जगह प्याऊ लगाई ज...

શ્યામ બંગ્લોઝ ભાગ 2, ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..

શ્યામ બંગ્લોઝ ભાગ 2 , ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..  ડીસા શહેર માં નવરાત્રી મહોત્સવ ની પૂર્ણાહુતિ પ્રસંગે શ્યામ બંગ્લોઝ ભાગ 2 કોમન પ્લોટ ખાતે સાત દીકરીઓ દ્વારા 'મહિષાસુર મર્દની 'નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી જે કૃતિ એ સૌનું ધ્યાનાકર્ષણ કર્યું હતું.. નાટિકામાં ખુશી ખાખલેચા, કવિતા રાવ ,દીપિકા રાવ, પૂજા ઠાકોર, અંજલી ઠાકોર, વિશ્વા સોની, ભૂમિ ઠાકોર અને રોહિત ઠાકોરે ભાગ લઈ સુંદર નૃત્ય દ્વારા સૌને પ્રભાવિત કર્યા હતા.. પરેશભાઈ પટેલ, તિરૂપતિ સાઇકલ ડીસા દ્વારા ભાગ લેનાર તમામ ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને ચાર રહીશો દ્વારા દરેક ને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.. આ પ્રસંગે આ નૃત્ય નાટિકા નું આયોજન કરનાર મહોત્સવ કમિટીના સભ્યો અને ભાગ લેનાર તમામને પ્રવીણભાઈ. સાધુ અને કમલેશભાઈ ટી.ઠક્કરે બિરદાવ્યા હતા..