सीधे मुख्य सामग्री पर जाएं

કોરોનાને કાબુમાં રાખવા જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે.. બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલે અને આરોગ્યના અધિકારીઓની પરિસ્થિતિ પર સીધી નજર

કોરોનાને કાબુમાં રાખવા જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે.. 
બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલે અને આરોગ્યના અધિકારીઓની પરિસ્થિતિ પર સીધી નજર
 આરોગ્યની ૩ હજાર ટીમો, ૧૬૦૩ મહેસૂલ અને પંચાયતના 
અધિકારીઓ-કર્મચારીઓ, ૩૩૬૫ આંગણવાડીની બહેનો ફરજ પર 

 (માહિતી બ્યુરો, પાલનપુર) 

        નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ના સંક્રમણને કાબુમાં રાખવા તથા આ વાયરસને ફેલાતો અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારના માર્ગદર્શન પ્રમાણે વ્યાપક કામગીરી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલે અને આરોગ્યના અધિકારીઓ કોરોનાની પરિસ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે. આજદિન સુધી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી પરંતું સરકારની સુચના પ્રમાણે જિલ્લા વહીવટી તંત્રએ આગોતરૂ આયોજન કરી કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે તથા આ વાયરસને ફેલાતો અટકાવવા સહિતના જરૂરી તમામ પગલાં લીધા છે.         બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સઘન મોનીટરીંગ કરી કોરોના વાયરસનું સંક્રમણ જિલ્લામાં ન ફેલાય તે માટે અથાગ મહેનત કરી રહ્યા છે. જિલ્લામાં હાઇરીસ્ક ગ્રુપમાં આવતા તમામ વ્યક્તિઓનું જિલ્લાકક્ષાએથી સીધુ મોનીટરીંગ કરવામાં આવે છે. ગામડાઓમાં લોકોને ઘેરબેઠાં સારવાર મળી રહે તે માટે મોબાઇલ ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે. તાવ, શરદી, ખાંસી કે માથાના દુઃખાવાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓનો આશા કે મલ્ટી પર્પઝ અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા સંપર્ક કરવામાં આવે છે. 
       બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ તબક્કાનો સઘન સર્વે પૂર્ણ કર્યા બાદ ૨૪૨૫ આશા, ૧૫૨૮ મલ્ટી પર્પઝ અને ફિમેલ હેલ્થ વર્કર, ૨૫૨ જેટલાં મેડીકલ ઓફિસર તબીબી સ્ટાફ સહિતની આરોગ્યની ૩ હજાર જેટલી ટીમો દ્વારા ઘેર ઘેર ફરીને સર્વે કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં બહારથી આવેલા પ્રવાસીઓનું સઘન મોનીટરીંગ અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. 
        લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કામગીરી માટે ૮૦૩ મહેસૂલી અધિકારીઓ અને કર્મચારીઓ તથા ૮૦૦ પંચાયત વિભાગના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. ૩૩૬૫ આંગણવાડી અને તેડાગર બહેનો તથા ૩૨ આઇ.સી.ડી.એસ.ની સુપરવાઈઝર બહેનો ફરજ બજાવી રહી છે. 
         લોકડાઉનના સમયમાં લોકોને દૂધ, શાકભાજી, કરીયાણું, મેડીકલ પ્રોવિઝનલ સ્ટોર્સમાંથી દવાઓ વગેરે સરળતાથી મળે તે માટે વિક્રેતાઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ-૧૩,૯૧૭ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. લોકોને ઘેરબેઠાં કરીયાણું મળી રહે તે માટે દુકાનદારો સાથે સંકલન કરી હોમ ડીલીવરીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગઇકાલે કલેકટરશ્રી સંદીપ સાગલેના હસ્તે સ્ટેય હોમ બી.કે. નામની મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે જેના પર આર્ડર બુક કરાવી લોકો સરળતાથી વસ્તુઓ અને સેવાઓ ઘેરબેઠાં મેળવી શકે તેવી સુંદર વ્યવસ્થા ગોઠવાઇ છે. જિલ્લાના કંટ્રોલ રૂમ પરથી અધિકારીઓ જિલ્લાની તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ૪,૭૭૦ પોલીસ, હોમગાર્ડ અને 
ગ્રામરક્ષક દળના જવાનો લોકોની સેવામાં ખડેપગે
      
          બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનના ચુસ્ત અમલ થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે બનાસકાંઠા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલના વડપણ હેઠળ ૪,૭૭૦ જેટલાં પોલીસ, હોમગાર્ડ,ગ્રામરક્ષક દળ,વન વિભાગ, એક્સ-આર્મીમેન અને એન.એન.એસ.ના વિધાર્થીઓ વોલેન્ટીયર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જિલ્લામાં ૧૫૮૪ પોલીસ જવાનો, ૧૪૮૨ હોમગાર્ડ જવાનો, ૧૪૨૯ ગ્રામરક્ષક દળ, ૮૭ વન વિભાગ, ૨૫ એક્સ-આર્મીમેન અને ૧૬૩ જેટલાં એન.એસ.એસ.ના વિધાર્થીઓ લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવવા માટે પોલીસ ફોર્સના જવાનો સાથે લોકોની સેવામાં રાઉન્ડ ધ ક્લોક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે.

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार ।

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार । दिनांक 16.10.2022 की रात्रि में कस्बा बालोतरा में नया बस स्टेण्ड के पास स्थित शराब के ठेके के आगे राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने की घटना को पुलिस अधीक्षक जिला बाड़मेर द्वारा गम्भीरता से लेते हुए आरोपियों के विरूद्ध तत्काल कार्यवाही करने के दिये गये, निर्देशानुसार अतिरिक्त पुलिस अधीक्षक बालोतरा व वृताधिकारी वृत बालोतरा के सुपरविजन में श्री उगमराज सोनी नि0पु0 थानाधिकारी पुलिस थाना बालोतरा के नेतृत्व में गठित टीम द्वारा प्रकरण में 2 आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की।  घटना का विवरण - कल दिनांक 16.10.2022 को राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे द्वारा अपने कर्तव्य निर्वहन के दौरान नया बस स्टेण्ड, बालोतरा स्थित शराब के ठेके के आगे असामाजिक तत्वों द्वारा बेवजह श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने के संबंध में बीट आरक्षी श्री मेघाराम द्वारा रिपोर्ट पेश करने पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान षुरू किया गया।   कार्यवाही विवरण - राजस्थान पत्रिका के प

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..

ડીસા ના ૬ સાઇક્લીસ્ટો એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિને ૧૦૦કિમી રાઇડ સાડા ત્રણ કલાક માં પુરી કરી મોદી સાહેબ ના દીર્ઘ આયુષ્ય ની કામના સાથે ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..  સાથે સાથે  મોદી સાહેબ ના સ્વછતા ના સંદેશ ને આ ગ્રુપ નો મુળ ઉદેશ છે એવુ સાઇક્લીસ્ટો શશીકાંત, બંટી, તાત્પર્ય, કુરાંગ, ભરતભાઇ ,  કિરણે જણાવ્યુ હતુ..