सीधे मुख्य सामग्री पर जाएं

દેશની ચોથી જાગીરી મીડીયા નું મુલ્ય સમજવાની જરુર.....

બનાસકાંઠા........પાલનપુર..

દેશની ચોથી જાગીરી મીડીયા નું મુલ્ય સમજવાની જરુર.....

પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દિવસ રાત કામ કરતા મીડિયાકર્મીઓ
સરકાર કે સ્વૈરિછક સંસ્થાઓએ મીડિયાકર્મી પાસે કામ કરાવવું છે પણ નોંધ લેવાતી નથી

:- હાલમાં દેશભર માં કોરોના મહામારી એ કહેર મચાવી રાખ્યો છે જેથી લોકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે ઠેર ઠેર જગ્યાએથી લોકો પોતાના ધંધા રોજગાર છોડી પોતાના માદરેવતન વતન ની વાટ પકડી છે ત્યારે સરકાર તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે દેશની ચોથી જાગીરી ગણાતા મિડીયા કર્મીઓ પણ આ સેવાકીય પ્રવૃત્તિઓમાં જીવના જોખમે કોરોના સામે લડત લડી મોતની પણ પરવા કર્યો વગર ખડેપગે રહી દેશની સેવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે ત્યારે અમુક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહેલી સેવાકીય કામગીરી ને મિડીયા દ્વારા મોટી નામના પણ મળેલ છે. પરંતુ મિડીયા દ્વારા કોરોના વોરિર્યસૅ તરીકે  કરવામાં આવી રહેલી કામગીરી ને સરકાર કે સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા કોઇ જ મહત્વ આપવામાં આવતું નથી. બનાસકાંઠાના અમુક  તાલુકાઓમાં પત્રકારોને સન્માન અને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. પાલનપુરમાં તાજેતરમાં ચૌધરી યુવાનો દ્વારા પત્રકાર નું સન્માન કરવામાં આવ્યું હતું તો આવી પ્રેરણાઓ બીજી સંસ્થાઓ દ્વારા  કેમ લેવામાં આવતી  નથી. પત્રકારોને પણ પોતાનું સ્વાભિમાન હોય છે. પત્રકારો ફક્ત વાહ વાહ કરવા માટે હોય  છે? શુ? પત્રકારો નો ઉપયોગ મોટી નામના મેળવવા જ કરવામાં આવે છે. સ્વૈચ્છિક સંસ્થાઓને જ્યારે પ્રેસનોટ આપવાની હોય છે ત્યારે પત્રકારોના નંબર મળી જતા હોય છે ત્યારે લોકડાઇન માં પત્રકાર મિત્રો નું પરિવારનું ગુજરાન કેવું ચાલે છે તે કોઈ સંસ્થા પૂછવા આવી? એક કડવી હકીકત પણ સત્ય નજર અંદાજ કરી શકાય નહીં .જેથી દેશની ચોથી જાગીરી કહેવાતા પત્રકાર આલમ માં ઘેરા પ્રત્યાધાતો જોવા મળી રહ્યા છે.

મનુ ભાઈ પરમાર



टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા શુભમ પાર્ટી પ્લોટ ખાતે "હાલને સખી, ગરબે ઘૂમીએ" બે દિવસીય ગરબા મહોત્સવ યોજાયો

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા 'હાલને સખી, ગરબે ઘૂમીએ ' દ્વી દિવસય ભાતીગળ ગરબા મહોત્સવ 2024 યોજાયો.. નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા     શુભમ પાર્ટી પ્લોટ ડીસા ખાતે તારીખ 10 અને 11 ઓક્ટોબર 2024 ના રોજ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા સતત પાંચમાં વર્ષે 'હાલ ને સખી ગરબે ઘુમીયે' ભાતીગળ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં પ્રથમ દિવસે થરાદ ભારત વિકાસ પરિષદની ટીમ અને કે.બી. દેસાઈ (પી.આઇ )દક્ષિણ પોલીસ સ્ટેશન ડીસા અને બીજા દિવસે ભરતભાઈ ઠક્કર, ટ્રસ્ટી, ઉત્તર પ્રાંત, કમલભાઈ ચંદારાણા, ઉપપ્રમુખ, ઉત્તર પ્રાંત ,ભારત વિકાસ પરિષદ જેઓ હાજર રહીને ભાતીગળ ગરબા ને માણ્યા હતા.. સમગ્ર ડીસા પંથક માંથી માનવ મહેરામણ ઉભરાયું હતું અને  મોડી રાત સુધી સૌ શિસ્તબદ્ધ ગરબામાં ઝૂમ્યા હતા અને શાખા ની મહિલા પાંખ દ્વારા માંડવી, માટીના ગરબા અને ભાતીગળ ગરબા દ્વારા માતાજી ના ગુણગાન ગાવામાં આવ્યા હતા.. ડિસન્ટ ઓરકેસ્ટ્રા, પાટણ દ્વારા  દ્વિ દિવસીય ગરબા મહોત્સવમાં  સૌને જુદા જુદા ભાતીગળ ગરબા દ્વારા મોડી રાત સુધી ગરબે રમાડ્યા હતા.. આ ગરબા...

कृष्णा सेवा संस्थान द्वारा अस्थायी प्याऊ का हुआ शुभारम्भ

कृष्णा सेवा संस्थान द्वारा अस्थायी प्याऊ का हुआ शुभारम्भ  बालोतरा :   मनोहर बोराणा कृष्णा सेवा संस्थान ने गर्मी में चल रहे सेवा कार्यों में एक और कदम बढ़ाते हुए दो माह के लिए अस्थायी प्याऊ का शुभारम्भ किया है। संस्थान मार्गदर्शक पारस भंडारी ने कहा कि संस्थान द्वारा प्रति वर्ष गर्मी में आमजन व प्राणियों की सेवा के अनेक कार्य किए जाते है आज से जसोल फांटा पर अस्थायी प्याऊ प्रारम्भ की गई है। संस्थापक अध्यक्ष धर्मेंद्र दवे ने बताया कि संस्थान द्वारा अभी गर्मी में निशुल्क परिंडे वितरित करते हुए जगह जगह सीमेंट की खेलियां लगाई जा रही है इसके साथ आज से संस्थान सदस्य मानसी नेनवानी, ललित नेनवानी व लक्ष्मण पुत्र अशोक नेनवानी के सहयोग से दो माह के लिए जसोल फांटा पर ठंडे पानी के केम्पर लगाकर प्याऊ शुरू की गई है। यंहा यात्रियों का आवागमन लगा रहता है जसोल व नाकोड़ा जाने वाले दर्शनार्थीयों को इस प्याऊ से अवश्य राहत मिलेगी।सभी सदस्यों द्वारा नेनवानी परिवार का दुपट्टा पहनाकर स्वागत किया गया। गौतम चौपड़ा ने बताया कि आगे जैसे जैसे गर्मी बढ़ेगी संस्थान द्वारा कई जगह प्याऊ लगाई ज...

શ્યામ બંગ્લોઝ ભાગ 2, ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..

શ્યામ બંગ્લોઝ ભાગ 2 , ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..  ડીસા શહેર માં નવરાત્રી મહોત્સવ ની પૂર્ણાહુતિ પ્રસંગે શ્યામ બંગ્લોઝ ભાગ 2 કોમન પ્લોટ ખાતે સાત દીકરીઓ દ્વારા 'મહિષાસુર મર્દની 'નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી જે કૃતિ એ સૌનું ધ્યાનાકર્ષણ કર્યું હતું.. નાટિકામાં ખુશી ખાખલેચા, કવિતા રાવ ,દીપિકા રાવ, પૂજા ઠાકોર, અંજલી ઠાકોર, વિશ્વા સોની, ભૂમિ ઠાકોર અને રોહિત ઠાકોરે ભાગ લઈ સુંદર નૃત્ય દ્વારા સૌને પ્રભાવિત કર્યા હતા.. પરેશભાઈ પટેલ, તિરૂપતિ સાઇકલ ડીસા દ્વારા ભાગ લેનાર તમામ ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને ચાર રહીશો દ્વારા દરેક ને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.. આ પ્રસંગે આ નૃત્ય નાટિકા નું આયોજન કરનાર મહોત્સવ કમિટીના સભ્યો અને ભાગ લેનાર તમામને પ્રવીણભાઈ. સાધુ અને કમલેશભાઈ ટી.ઠક્કરે બિરદાવ્યા હતા..