सीधे मुख्य सामग्री पर जाएं

પાલનપુરમાં કોરોના ફરજ દરમીયાન અવસાન પામેલા હોમગાર્ડ જવાનના પરીવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 4 લાખનો ચેક અપાયો

પાલનપુરમાં કોરોના ફરજ દરમીયાન અવસાન પામેલા હોમગાર્ડ જવાનના પરીવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 4 લાખનો ચેક અપાયો

જિલ્લા કમાન્ડન્ટના હસ્તે  મૃતક હોમગાર્ડના પરીવારને ચેક અપાયો

પાલનપુર

કોરોના લોકડાઉનમાં ફરજ ઉપર અવસાન પામેલા હોમગાર્ડના પરીવારને તેમજ અન્ય એક હોમગાર્ડ જવાનના પરીવારને જિલ્લા કમાન્ડન્ટના હસ્તે સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

કોરોના વાયરસની મહામારીના પગલે સરકાર દ્વારા ભારતને લોક ડાઉન કરવામાં આવ્યુ હતુ.જેમાં હોમગાર્ડ જવાનોને ફરજ ઉપર મુકવામાં આવ્યા હતા.જેમાં પોલીસ સાથે ખભે ખભો મીલાવી હોમગાર્ડ જવાનોએ ફરજ બજાવી હતી.જેમા ફરજ દરમીયાન પાલનપુર હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા શૈલેષભાઇ શ્રીમાળીનું  અવસાન થયુ હતુ.જેના પગલે જિલ્લા કમાન્ડન્ટ આર.એમ.પંડ્યા દ્વારા અથાગ પ્રયત્નોથી મુખ્ય મંત્રી રાહત ફંડમાંથી રૂ.4 લાખની સહાય પાસ કરાવવામાં આવી હતી.ત્યારબાદ  જિલ્લા કમાન્ડન્ટ આર.એમ.પંડ્યાના હસ્તે મૃતક હોમગાર્ડના પરીવારને સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.તેમજ છાપી સબ યુનિટના હોમગાર્ડ જવાન મંગાભાઇ રાવળનું સામાન્ય સંજોગોમાં અવસાન થતા તેના પરીવારને રૂ.77500નો ચેક આપવામાં આવ્યો હતો.જેમાં જિલ્લા કમાન્ડર આર.એમ.પંડ્યા,સ્ટાફ ઓફીસર કાયદા અધિકારી મનોજકુમાર ઉપાધ્યાય , હેડ કલાર્ક જે.એન. પરમાર,સબ ઇન્સપેક્ટર એલ.એચ.વ્યાસ,,પાલનપુર ઓફીસર કમાન્ડીંગ પ્રશાંતભાઇ ગૌસ્વામી,છાપી ઓફીસર કમાન્ડન્ટ હર્ષદભાઇ બ્રહ્મભટ્ટ સહીતના અધિકારી હાજર રહ્યા હતા.

G express news network

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार ।

बालोतरा में पत्रकार के साथ मारपीट प्रकरण में दो मुलजिम गिरफ्तार । दिनांक 16.10.2022 की रात्रि में कस्बा बालोतरा में नया बस स्टेण्ड के पास स्थित शराब के ठेके के आगे राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने की घटना को पुलिस अधीक्षक जिला बाड़मेर द्वारा गम्भीरता से लेते हुए आरोपियों के विरूद्ध तत्काल कार्यवाही करने के दिये गये, निर्देशानुसार अतिरिक्त पुलिस अधीक्षक बालोतरा व वृताधिकारी वृत बालोतरा के सुपरविजन में श्री उगमराज सोनी नि0पु0 थानाधिकारी पुलिस थाना बालोतरा के नेतृत्व में गठित टीम द्वारा प्रकरण में 2 आरोपियों को गिरफ्तार करने में सफलता हासिल की।  घटना का विवरण - कल दिनांक 16.10.2022 को राजस्थान पत्रिका के पत्रकार श्री धर्मवीर दवे द्वारा अपने कर्तव्य निर्वहन के दौरान नया बस स्टेण्ड, बालोतरा स्थित शराब के ठेके के आगे असामाजिक तत्वों द्वारा बेवजह श्री धर्मवीर दवे के साथ मारपीट कर मोबाईल छिनने के संबंध में बीट आरक्षी श्री मेघाराम द्वारा रिपोर्ट पेश करने पर प्रकरण पंजीबद्ध कर अनुसंधान षुरू किया गया।   कार्यवाही विवरण - राजस्थान पत्रिका के प

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..

AMBAJI/અંબાજી ભાદરવી પૂનમ ના મેળા પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા..           અંબાજી ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ ભક્તિ ભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મોડી સાંજે મંત્રીશ્રીએ અંબાજી શક્તિપીઠ સર્કલથી મંદિરમાં ચાલતા આવી માતાજી સમક્ષ શિશ ઝુકાવી ગુજરાતની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મંત્રીશ્રીએ માતાજીની ગાદી પર જઇ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા..            આ પ્રસંગે મિડીયા સાથેની મુલાકાતમા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, મા અંબા ના જ્યાં બેસણા એવા પરમ શ્રદ્ધાના કેન્દ્રબિંદુ અંબાજી ખાતે આજે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવું છું. તેમણે કહ્યું કે સમગ્ર ગુજરાતના અને દેશના શ્રધ્ધાળુઓ માટે ભાદરવી પૂનમના મેળાનું આગવું મહત્ત્વ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે માઇભક્તો માટે ખુબ સરસ વ્યવસ્થા કરી છે.            મંત્રીશ્રીએ દાંતા- અંબાજી રોડ પર આવેલ સિધ્ધ

ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..

ડીસા ના ૬ સાઇક્લીસ્ટો એ આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ ના ૭૨ મા જન્મદિને ૧૦૦કિમી રાઇડ સાડા ત્રણ કલાક માં પુરી કરી મોદી સાહેબ ના દીર્ઘ આયુષ્ય ની કામના સાથે ડીસા થી ઇકબાલગઢ અપ ડાઉન ની રાઇડ કરી અનોખી રીતે જન્મદિવસ ની શુભકામનાઓ સાઇકલીંગ લવર્સ ગ્રુપ ના મેમ્બરો એ આપી હતી..  સાથે સાથે  મોદી સાહેબ ના સ્વછતા ના સંદેશ ને આ ગ્રુપ નો મુળ ઉદેશ છે એવુ સાઇક્લીસ્ટો શશીકાંત, બંટી, તાત્પર્ય, કુરાંગ, ભરતભાઇ ,  કિરણે જણાવ્યુ હતુ..