सीधे मुख्य सामग्री पर जाएं

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરાવતા મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ..

શ્રી પ૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ..


વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ કરાવતા મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ..


શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં એક જ સ્થળે એકાવન શક્તિપીઠનો જે સંકલ્પ સેવ્યો હતો એ સાકાર થયો છે : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ..

:- મુખ્યમંત્રી શ્રી :-

- શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો  પવિત્ર યાત્રાધામ અંબાજીના વિકાસ વધુ વેગવંતુ બનાવશે..

- અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત ભારતનો મોટો 'લાઇટ એન્ડ સાઉન્ડ શૉ' અંબાજી તીર્થ ધામનું અનેરું આકર્ષણ બનશે...


રાજ્યના યુવાનોની ધર્મ ભક્તિ અને શક્તિને રાષ્ટ્રીય ભક્તિ અને શક્તિમાં ફેરવવાનો રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે : મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી..


મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ગબ્બર ખાતે રૂ. ૧૩.૩પ કરોડના ખર્ચે નવનિર્મિત ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો પ્રારંભ પ્રસંગે જણાવ્યું કે, અંબાજી ગબ્બર ખાતે નવનિર્મિત ભારતનો સૌથી મોટો 'લાઇટ એન્ડ સાઉન્ડ શૉ' આવનારા સમયમાં અંબાજી તીર્થ ધામનું અનેરું આકર્ષણ કેન્દ્ર બનવાનું છે..

ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પણ પ્રારંભ થયો છે ત્યારે આ મહોત્સવ પવિત્ર યાત્રાધામના વિકાસ વધુ વેગવંતુ બનાવશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રી એ વ્યક્ત કર્યો હતો..

મુખ્મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ એક એવી કાર્યપ્રણાલી વિકસાવી છે કે જેનું ખાતમુહૂર્ત કરે છે એનું લોકાર્પણ પણ એ જ કરે છે, જેનું ઉદાહરણ આજે આપણી સૌ સમક્ષ છે..


શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં એક જ સ્થળે  એકાવન શક્તિપીઠનો જે સંકલ્પ સેવ્યો હતો સાકાર થયો છે એમ મમુખ્મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે પ૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળતો હશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો..

મુખ્યમંત્રશ્રીએ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સાંસ્કૃતિક વિલેજનું ઉદઘાટન,  અંબાજી મંદિરની અદ્યતન વેબસાઇટનું લોન્ચીંગ તેમજ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી મોબાઇલ એપનું પણ  લોન્ચિંગ કર્યું હતું...

આ અવસરે માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીએ કહ્યું કે, ચૈત્ર નવરાત્રીના પાવન અવસરે પવિત્ર યાત્રધામ અંબાજી ખાતે અનેક પ્રકલ્પોનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ અને પ્રારંભ કરાવીને યાત્રિકોને ભેટ આપી છે..


શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન અને માર્ગદર્શન હેઠળ  જે શ્રી પ૧ શક્તિપીઠનું રૂપરેખાનું આયોજન કરવામાં આવ્યું હતું એ આજે સાકાર થતી જોવા મળી રહી છે એમ મંત્રી શ્રીએ વધુમાં ઉમેર્યું હતું..

તેમણે ઉમેર્યું કે, હિંદુસ્તાન યાત્રાઓનો દેશ છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દેશભરના દરેક યાત્રા ધામનો વિકાસ કરી રહી છે..


રાજ્યના યુવાનોની ધર્મ ભક્તિ અને શક્તિને રાષ્ટ્રીય ભક્તિ અને શક્તિ માં ફેરવવાનો રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું..

આ અવસરે પ્રવાસન અને યાત્રાધામ રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ શ્રી પરબતભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ધારાસભ્ય શ્રી શશીકાંતભાઈ પંડ્યા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, પ્રવાસન વિભાગના સચિવ શ્રી હરિત શુક્લા, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ શ્રી આર.આર.રાવલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વપ્નિલ ખરે સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા શુભમ પાર્ટી પ્લોટ ખાતે "હાલને સખી, ગરબે ઘૂમીએ" બે દિવસીય ગરબા મહોત્સવ યોજાયો

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા 'હાલને સખી, ગરબે ઘૂમીએ ' દ્વી દિવસય ભાતીગળ ગરબા મહોત્સવ 2024 યોજાયો.. નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા     શુભમ પાર્ટી પ્લોટ ડીસા ખાતે તારીખ 10 અને 11 ઓક્ટોબર 2024 ના રોજ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા, ડીસા દ્વારા સતત પાંચમાં વર્ષે 'હાલ ને સખી ગરબે ઘુમીયે' ભાતીગળ ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં પ્રથમ દિવસે થરાદ ભારત વિકાસ પરિષદની ટીમ અને કે.બી. દેસાઈ (પી.આઇ )દક્ષિણ પોલીસ સ્ટેશન ડીસા અને બીજા દિવસે ભરતભાઈ ઠક્કર, ટ્રસ્ટી, ઉત્તર પ્રાંત, કમલભાઈ ચંદારાણા, ઉપપ્રમુખ, ઉત્તર પ્રાંત ,ભારત વિકાસ પરિષદ જેઓ હાજર રહીને ભાતીગળ ગરબા ને માણ્યા હતા.. સમગ્ર ડીસા પંથક માંથી માનવ મહેરામણ ઉભરાયું હતું અને  મોડી રાત સુધી સૌ શિસ્તબદ્ધ ગરબામાં ઝૂમ્યા હતા અને શાખા ની મહિલા પાંખ દ્વારા માંડવી, માટીના ગરબા અને ભાતીગળ ગરબા દ્વારા માતાજી ના ગુણગાન ગાવામાં આવ્યા હતા.. ડિસન્ટ ઓરકેસ્ટ્રા, પાટણ દ્વારા  દ્વિ દિવસીય ગરબા મહોત્સવમાં  સૌને જુદા જુદા ભાતીગળ ગરબા દ્વારા મોડી રાત સુધી ગરબે રમાડ્યા હતા.. આ ગરબા...

कृष्णा सेवा संस्थान द्वारा अस्थायी प्याऊ का हुआ शुभारम्भ

कृष्णा सेवा संस्थान द्वारा अस्थायी प्याऊ का हुआ शुभारम्भ  बालोतरा :   मनोहर बोराणा कृष्णा सेवा संस्थान ने गर्मी में चल रहे सेवा कार्यों में एक और कदम बढ़ाते हुए दो माह के लिए अस्थायी प्याऊ का शुभारम्भ किया है। संस्थान मार्गदर्शक पारस भंडारी ने कहा कि संस्थान द्वारा प्रति वर्ष गर्मी में आमजन व प्राणियों की सेवा के अनेक कार्य किए जाते है आज से जसोल फांटा पर अस्थायी प्याऊ प्रारम्भ की गई है। संस्थापक अध्यक्ष धर्मेंद्र दवे ने बताया कि संस्थान द्वारा अभी गर्मी में निशुल्क परिंडे वितरित करते हुए जगह जगह सीमेंट की खेलियां लगाई जा रही है इसके साथ आज से संस्थान सदस्य मानसी नेनवानी, ललित नेनवानी व लक्ष्मण पुत्र अशोक नेनवानी के सहयोग से दो माह के लिए जसोल फांटा पर ठंडे पानी के केम्पर लगाकर प्याऊ शुरू की गई है। यंहा यात्रियों का आवागमन लगा रहता है जसोल व नाकोड़ा जाने वाले दर्शनार्थीयों को इस प्याऊ से अवश्य राहत मिलेगी।सभी सदस्यों द्वारा नेनवानी परिवार का दुपट्टा पहनाकर स्वागत किया गया। गौतम चौपड़ा ने बताया कि आगे जैसे जैसे गर्मी बढ़ेगी संस्थान द्वारा कई जगह प्याऊ लगाई ज...

શ્યામ બંગ્લોઝ ભાગ 2, ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..

શ્યામ બંગ્લોઝ ભાગ 2 , ડીસા ખાતે 'મહિષાસુર મર્દની નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી..  ડીસા શહેર માં નવરાત્રી મહોત્સવ ની પૂર્ણાહુતિ પ્રસંગે શ્યામ બંગ્લોઝ ભાગ 2 કોમન પ્લોટ ખાતે સાત દીકરીઓ દ્વારા 'મહિષાસુર મર્દની 'નૃત્ય નાટિકા રજૂ કરવામાં આવી હતી જે કૃતિ એ સૌનું ધ્યાનાકર્ષણ કર્યું હતું.. નાટિકામાં ખુશી ખાખલેચા, કવિતા રાવ ,દીપિકા રાવ, પૂજા ઠાકોર, અંજલી ઠાકોર, વિશ્વા સોની, ભૂમિ ઠાકોર અને રોહિત ઠાકોરે ભાગ લઈ સુંદર નૃત્ય દ્વારા સૌને પ્રભાવિત કર્યા હતા.. પરેશભાઈ પટેલ, તિરૂપતિ સાઇકલ ડીસા દ્વારા ભાગ લેનાર તમામ ને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને ચાર રહીશો દ્વારા દરેક ને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.. આ પ્રસંગે આ નૃત્ય નાટિકા નું આયોજન કરનાર મહોત્સવ કમિટીના સભ્યો અને ભાગ લેનાર તમામને પ્રવીણભાઈ. સાધુ અને કમલેશભાઈ ટી.ઠક્કરે બિરદાવ્યા હતા..