सीधे मुख्य सामग्री पर जाएं

संदेश

अप्रैल, 2025 की पोस्ट दिखाई जा रही हैं

ડીસા માં 440 વર્ષીતપના તપસ્વીઓ આચાર્ય મહાશ્રમણજી ની વિશેષ ઉપસ્થિતિમાં કરશે પારણા..

ડીસામાં 440 વર્ષીતપના તપસ્વીઓ આચાર્ય મહાશ્રમણજી ની વિશેષ ઉપસ્થિતિમાં કરશે પારણા.. ડીસા માં તેરાપંથ જૈન ધર્મના 11મા ધર્માચાર્ય આચાર્ય શ્રી મહાશ્રમણજી ની નિશ્રામાં વર્ષીતપ પારણા મહોત્સવનો પ્રારંભ થયો છે, આ મહોત્સવ ચાર દિવસ સુધી ચાલશે, આચાર્યશ્રી એ મંગળવારે જલારામ મંદિર થી સામૈયા સાથે ડીસામાં પ્રવેશ કર્યો હતો.. મહારાણા પ્રતાપ સ્કૂલ ખાતે સ્વાગત સમારોહ અને પ્રવચન યોજાયા હતા, ડીસામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ મહોત્સવમાં આચાર્ય દર રોજ સવારે 9 કલાકે પ્રવચન આપશે.. ડીસામાં તેરાપંથી પરિવાર ના 15 સહિત કુલ 440 તપસ્વી છેલ્લા 13 માસ અને 10 દિવસ થી કઠોર વર્ષીતપ કરી રહ્યા છે, આ તપસ્વીઓ અક્ષય તૃતીયાના દિવસે પારણા કરશે, કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણ માળી અને પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર હાજરી આપશે.. આચાર્ય મહાશ્રમણજી એ નેપાળ, ભૂટાન અને ભારત ના 23 રાજ્યોમાં અહિંસા યાત્રા કરી છે, તેમણે 20 હજાર કિલોમીટર નો પ્રવાસ કરી સદભાવના, નૈતિકતા અને નશામુક્તિનો સંદેશ ફેલાવ્યો છે, કાર્યક્રમ માં સાધ્વી સંચિત પ્રજ્ઞાજી, સાધ્વી હર્ષ પ્રજ્ઞાજી સહિત જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.. નીરજ બોરાણા જી એક્...

ડિસા માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન..

ડિસા માં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મ જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું, રેલીમાં સમાજની મહિલાઓએ આગેવાની લીધી હતી, રેલી દિપક હોટેલ થી શરૂ થઈ હતી.. રેલી જલારામ મંદિર, બગીચા સર્કલ, ફુવારા સર્કલ અને રિસાલા બજાર ના માર્ગે ફરી હતી, રેલીમાં ભગવાન પરશુરામનો રથ પણ સામેલ હતો, ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા અને જિલ્લા ભાજપ ના પૂર્વ મહામંત્રી અમરત દવે રથ માં બેસી યાત્રામાં જોડાયા હતા.. જલારામ મંદિર પાસે ભગવાન પરશુરામ ના રથનું સ્વાગત કરવામાં આવ્યું, લોકોએ "જય જય પરશુરામ"ના નાદ થી વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું, બગીચા સર્કલ ખાતે ધારાસભ્ય પ્રવિણભાઇ માળી, પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, ડિસા શહેર ભાજપ સંગઠન અને શિવ સમિતિ ડિસા એ રથનું સ્વાગત કર્યું.. શહેર ના વિવિધ વિસ્તારોમાં લોકોએ રેલીનું સ્વાગત કર્યું હતું. બ્રહ્મ સમાજ ની આ રેલીએ ભગવાન પરશુરામ ની જન્મજયંતિની ઉજવણીને વિશેષ બનાવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો..

પશુઓના નિભાવ ખર્ચ પેટે રૂપિયા ૪૮.૭૨ લાખનો ચેક અર્પણ કરતા બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ..

પશુઓના નિભાવ ખર્ચ પેટે રૂ. ૪૮.૭૨ લાખનો ચેક અર્પણ કરતા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ.. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, જીવદયા પ્રેમીઓ અને જિલ્લા પોલીસ દ્વારા કતલખાને જતા પશુઓને આશ્રય, ખોરાક અને સારવાર અપાય છે.. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા કતલખાને લઇ જવાતા પશુઓને બચાવી શ્રી રાજપુર પાંજરાપોળ, ડીસા ખાતે મોકલવામાં આવતા હોય છે, આ પશુઓના નિભાવ ખર્ચ પેટે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી ના અધ્યક્ષ-વ-જિલ્લા કલેકટર શ્રી મિહિર પટેલ અને ઉપપ્રમુખ -વ-પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના હસ્તે વર્ષ ૨૦૨૪-૨૫ માટે શ્રી રાજપુર પાંજરાપોળ, ડીસાને પશુઓના નિભાવ માટે કુલ ૪૮,૭૨,૧૫૦/- રૂપિયા નો ચેક સંસ્થાના ટ્રસ્ટીશ્રી ભરતભાઈ વારિયા અને જગદીશભાઈ સોલંકીને અર્પણ કરાયો હતો.. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કતલખાને જતા પશુઓને જીવદયા પ્રેમીઓ અને બનાસકાંઠા પોલીસ વિભાગ ના સહયોગથી પકડીને શ્રી રાજપુર પાંજરાપોળ, ડીસા ખાતે મોકલવામાં આવેલ હતા તે પશુઓન...