ડીસામાં 440 વર્ષીતપના તપસ્વીઓ આચાર્ય મહાશ્રમણજી ની વિશેષ ઉપસ્થિતિમાં કરશે પારણા..
ડીસા માં તેરાપંથ જૈન ધર્મના 11મા ધર્માચાર્ય આચાર્ય શ્રી મહાશ્રમણજી ની નિશ્રામાં વર્ષીતપ પારણા મહોત્સવનો પ્રારંભ થયો છે, આ મહોત્સવ ચાર દિવસ સુધી ચાલશે, આચાર્યશ્રી એ મંગળવારે જલારામ મંદિર થી સામૈયા સાથે ડીસામાં પ્રવેશ કર્યો હતો..
મહારાણા પ્રતાપ સ્કૂલ ખાતે સ્વાગત સમારોહ અને પ્રવચન યોજાયા હતા, ડીસામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ મહોત્સવમાં આચાર્ય દર રોજ સવારે 9 કલાકે પ્રવચન આપશે..
ડીસામાં તેરાપંથી પરિવાર ના 15 સહિત કુલ 440 તપસ્વી છેલ્લા 13 માસ અને 10 દિવસ થી કઠોર વર્ષીતપ કરી રહ્યા છે, આ તપસ્વીઓ અક્ષય તૃતીયાના દિવસે પારણા કરશે, કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણ માળી અને પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર હાજરી આપશે..
આચાર્ય મહાશ્રમણજી એ નેપાળ, ભૂટાન અને ભારત ના 23 રાજ્યોમાં અહિંસા યાત્રા કરી છે, તેમણે 20 હજાર કિલોમીટર નો પ્રવાસ કરી સદભાવના, નૈતિકતા અને નશામુક્તિનો સંદેશ ફેલાવ્યો છે, કાર્યક્રમ માં સાધ્વી સંચિત પ્રજ્ઞાજી, સાધ્વી હર્ષ પ્રજ્ઞાજી સહિત જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા..
નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા
टिप्पणियाँ